જુનાગઢ જીલ્લાની આંગણવાડી કાર્યકર અને સ્ત્રી આરોગ્ય કર્મચારી બહેનોની IMNCI તાલીમ દરમિયાન રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી.ખુબ સમજાવવા છતા રસીકરણ માટે સંમત ન થતી પબ્લીકને કઈ રીતે સમજાવવી તે ચર્ચા દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીની Visionary C.M તરીકેની છાપ અમસ્તી નથી પડી;તે ફલિત થયુ.જે ચર્ચા થઈ તે બહેનોનાં જ શબ્દોમાં અત્રે પ્રસ્તુત છે-“પહેલા એ લોકો રસીકરણ માટે માનતા નહીં એ અમારે માટે મોટો પ્રોબ્લેમ હતો;પણ બાલિકા-સમૃધ્ધિ યોજના પછી તે લોકો હવે સામેથી રસીકરણ માટે માનવા માંડ્યા છે.કેમ કે આ યોજનાનો લાભ મેળવવા માટે રસીકરણ પુરેપુરુ કરાયેલ છે-તે દાખલો હોવો પુર્વશરત છે.” વધુ ચર્ચા કરાતા માલુમ થયુ કે આ યોજનાને કારણે એ સિવાયનાં પણ ફાયદા છે-
૧) છોકરીઓને પુરેપુરુ રસીકરણ અપાવા માંડ્યુ.
૨)મંત્રીનો દાખલો લેવા જાય ત્યારે મંત્રી વેરા પુરા ભરી દેવા કહે;એટલે જે લોકો પુરા વેરા નહોતા ભરતા;તે ભરવા લાગ્યા.
૩)છોકરીઓને ભણાવવાથી પૈસા મળશે-માટે છોકરીઓને ભણાવવા માટે તૈયાર થયા.
૪)૧૮ વર્ષની થાય ત્યારે પૈસા ઉપડે એટલે બાળ –લગ્ન પણ અટકે.
૫)ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અન્ય લાભાર્થીઓને લાભ મળતા જોઈને ;જે લોકોએ દિકરી માટે ખાતા નહોતા ખોલાવ્યા;તે પણ ખોલાવવા લાગ્યા અને રસીકરણ માટે પણ પોઝીટીવ વલણ અપનાવતા થયા.
૬) ખાતુ માતાને નામે ખોલાતુ હોઈને પણ વલણ પોઝીટીવ બન્યુ.અને દિકરીની સાથે માતાનુ મહત્વ પણ સ્થાપિત થયુ.
Ohh ,..Narendra Modisaheb....You are really great; and visionary C.M of Gujarat. Hats off to u and we are always feeling lucky for having you as our C.M Sir. May God bless you and your (Our) Gujarat. આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ફક્ત માનનીય નહીં પણ માનવીય પણ છે...
No comments:
Post a Comment