અભિવ્યક્તિ

આ બ્લોગ મારી આંતરિક ભાવનાઓની એક પ્રકારની અભિવ્યક્તિઓ માટેનો એક પ્રયત્ન છે.જીવનની રોજ-બ-રોજની ઘટનાઓમાં અમુક બાબતો જે આપણા અંતરતલને સ્પર્શી જતી હોય છે-તેને શબ્દોમાં કંડારવાનો એક પ્રયત્ન કર્યો છે.ઉપરાંત,શાળા જીવનમાં/કોલેજકાળ દરમિયાન વાંચેલું-સાંભળેલું કાંઈક સ્પર્શી ગયું હોય તે નોટસમાં ટપકાવી લેવાની આદત હતી;;તે કરાયેલું સંકલન પણ સમય-સંજોગો મળ્યેથી આ બ્લોગમાં સમાવવાની/ટપકાવવાની ઈચ્છા છે.

Saturday, February 25, 2012

પ્રેમલ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ !


પ્રેમલ જ્યોતિ તારો દાખવીમુજ જીવનપંથ ઉજાળ !પ્રેમલo

દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર;
માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાંનિજ શિશુને સંભાળપ્રેમલo

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજદૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર નએક ડગલું બસ, થાયમારે એક ડગલું બસ, થાય પ્રેમલo

આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા હામ ભીડી મૂઢ બાળ,  હવે માગું તુજ આધાર પ્રેમલo

ભભકભર્યા તેજથી હું લોભાયો ને ભય છતાં ધર્યો ગર્વ;
વીત્યાં વર્ષને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વમારે આજ થકી નવું પર્વ પ્રેમલo

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુઆજ લગી પ્રેમભેર;
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેરદાખવી પ્રેમલ જ્યોતિની સેર પ્રેમલo

કર્દમભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાડ;
ધસમસતાં જળ કેરા પ્રવાહોસર્વ વટાવી કૃપાળ મુને પહોંચાડશે નિજ દ્વાર પ્રેમલo

રજની જશે ને પ્રભાત ઊજળશે ને સ્મિત કરશે પ્રેમાળ;
દિવ્યગણોનાં વદન મનોહર મારે હૃદય વસ્યાં ચિરકાળજે મેં ખોયા હતાં ક્ષણવાર પ્રેમલo

- નરસિંહરાવ દિવેટિયા.

No comments: